×

મને કોણે પેદા કર્યો? અને કેમ પેદા કર્યો?દુનિયાની દરેકે દરેક વસ્તુ પેદા કરવાવાળા પાલનહારના અસ્તિત્વનો પુરાવો આપી રહી છે. (ગુજરાતી)

તૈયારી:

મને કોણે પેદા કર્યો? અને કેમ પેદા કર્યો?દુનિયાની દરેકે દરેક વસ્તુ પેદા કરવાવાળા પાલનહારના અસ્તિત્વનો પુરાવો આપી રહી છે.

કોણે આકાશો અને ધરતી તેમજ તે બન્નેની વચ્ચે અગણિત મોટી મોટી સૃષ્ટિઓનું સર્જન કર્યું છે?

આકાશ અને જમીનમાં આ ચોક્કસ, વિસ્તૃત વ્યવસ્થા કોણે બનાવી?

કોણે માનવીને પેદા કર્યો? અને કોણે તેને સાંભળવાની, જોવાની શક્તિ તેમજ બુદ્ધિ આપી, અને કોણે તેને વસ્તુઓની ઓળખ અને તેની વાસ્તવિકતાનો આભાસ કરતાં શીખવાડ્યું?

તમે પોતાની તેમજ અન્ય જીવિત પ્રાણીઓના શરીરની અદભુત કારીગરીની વ્યાખ્યા કઈ રીતે કરશો? તેઓને આટલી શાનદાર રીતે કોણે પેદા કર્યા?

આ મહાન સૃષ્ટિ પોતાના સચોટ નિયમો અને વ્યવસ્થા સાથે કેવી રીતે વર્ષોથી સંગઠિત અને સ્થિર છે?

આ દુનિયાને સંચાલિત કરતાં કેટલાક નિયમોને કોણે સ્થાપિત કર્યા? (જેમકે: જીવન, મૃત્યુ, જીવોનું પ્રજનન, દિવસ અને રાત, ઋતુઓનું પરિવર્તન, વગેરે)?

શું આ સૃષ્ટિએ પોતે જ પોતાની રચના કરી છે? અથવા તે બિનઅસ્તિત્વ માંથી અસ્તિત્વમાં આમ જ આવી ગઈ છે? અથવા શું તે ફક્ત એક સંયોગ દ્વારા બની ગઇ છે?

માનવી એવી વસ્તુઓના અસ્તિત્વ પર કેવી રીતે વિશ્વાસ ધરાવે છે, જેને તે જોઈ પણ નથી શકતો? જેમકે: (લાગણીઓ, બુદ્ધિ, આત્મા, ભાવનાઓ, મોહબ્બત) શું એટલા માટે નહીં કે તે તેના પ્રભાવને જુએ છે, તો આવી સ્થિતિમાં કોઈ માનવી આ વિશાળ સૃષ્ટિના સર્જકના અસ્તિત્વનો કેવી રીતે ઇન્કાર કરી શકે છે, જ્યારે કે તે તેના સર્જન, તેની કારીગરી અને તેની રેહમતના પ્રભાવને નરી આંખે જોઈ રહ્યો છે?!

કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ જો તેને કહેવામાં આવે કે આ મકાન કોઈના બાંધકામ કર્યા વગર જ બનાવવામાં આવ્યું છે, તો તે ભરોસો કરશે નહીં! અથવા જો તેને કહેવામાં આવે કે આ બિનઅસ્તિત્વમાંથી અસ્તિત્વમાં આમ જ આવી ગયું છે! (તો પણ તે સ્વીકારશે નહીં), તો કેટલાક લોકો કેવી રીતે ભરોસો કરી લે છે, કે આ મહાન સૃષ્ટિ કોઈ સર્જક વગર અસ્તિત્વમાં આવી ગઈ છે? એક બુદ્ધિશાળી વ્યક્તિ આ કેવી રીતે સ્વીકારે છે કે આ સૃષ્ટિ અને તેનું સચોટ બંધારણ સંયોગ દ્વારા અસ્તિત્વમાં આવી ગયું છે?

અલ્લાહ તઆલા એ કહ્યું:(أَمۡ خُلِقُواْ مِنۡ غَيۡرِ شَيۡءٍ أَمۡ هُمُ ٱلۡخَٰلِقُونَ، أَمۡ خَلَقُواْ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَۚ بَل لَّا يُوقِنُونَ). {શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે? શું આકાશો અને ધરતીને તે લોકોએ પેદા કર્યા છે ? સાચી વાત એ છે કે તેઓ (અલ્લાહની કુદરત પર) યકીન જ નથી રાખતા.}[૫૨: ૩૫-૩૬].

પવિત્ર અને મહાન અલ્લાહ

આ સૃષ્ટિનો એક પાલનહાર અને સર્જક છે, તેના ઘણા પવિત્ર નામો અને મહાન ગુણો છે, જે તેની સંપૂર્ણતા દર્શાવે છે, તેના પવિત્ર નામો માંથી: અલ્ ખાલિક (પેદા કરવાવાળો), અર્ રહીમ (દયા કરવાવાળો), અર્ રઝ્ઝાક (રોજી આપનાર), અલ્ કરીમ (ઉદાર) અને "અલ્લાહ" તેનું સૌથી પ્રસિદ્ધ નામ છે, જેનો અર્થ: તે હસ્તી જે ફક્ત એકલી જ ઈબાદતને લાયક છે, જેનો કોઈ ભાગીદાર નથી.

અલ્લાહ તઆલાએ કુરઆન કરીમમાં કહ્યું (૧):﴿قُلۡ هُوَ ٱللَّهُ أَحَدٌ {તમે કહી દો કે અલ્લાહ એક જ છે** ٱللَّهُ ٱلصَّمَدُ અલ્લાહ બેનિયાઝ છે**لَمۡ یَلِدۡ وَلَمۡ یُولَدۡ ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન**وَلَمۡ یَكُن لَّهُۥ كُفُوًا أَحَدُۢ﴾ અને તેના બરાબર કોઈ નથી.}[૧૧૨: ૧-૪].

અને અલ્લાહ તઆલાએ કહ્યું:﴿اللَّهُ لا إِلَهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ لا تَأْخُذُهُ سِنَةٌ وَلا نَوْمٌ لَهُ مَا فِي السَّمَوَاتِ وَمَا فِي الأَرْضِ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ وَسِعَ كُرْسِيُّهُ السَّمَوَاتِ وَالأَرْضَ وَلا يَئُودُهُ حِفْظُهُمَا وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ﴾ {અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે.}[૨: ૨૫૫].

પવિત્ર અને ઉચ્ચ અલ્લાહના ગુણો

તેણે જ ધરતીની રચના કરી અને તેને સર્જનીઓ માટે રહેવા લાયક બનાવી, અને તેણે જ આકાશોની રચના કરી અને તેમાં ભવ્ય અન્ય સૃષ્ટીયોને પેદા કરી, તેણે જ સૂર્ય, ચંદ્ર રાત અને દિવસ બનાવ્યા, તેણે જ આ સચોટ વ્યવસ્થા સ્થાપિત કરી, જે તેની મહાનતાને દર્શાવે છે.

અને તે જ છે, જેણે આપણાં માટે હવાને આધિન કરી, જેના વગર આપણે જીવી નથી શકતા, અને તે જ છે, જેણે આપણા માટે વરસાદ વરસાવ્યો, નદીઓ અને સમુદ્રોને આપણાં માટે આધીન કરી દીધા, અને તે જ છે, જેણે આપણું પાલન-પોષણ કર્યું અને જ્યારે આપણે આપણી માતાના પેટમાં કમજોર બાળકના રૂપમાં હતા, અને આપણી પાસે કોઈ શક્તિ ન હતી, અને તે જ છે, જેણે આપણાં જન્મ થી લઇ મૃત સુધી આપણાં શરીરની રગોમાં લોહીને દોડતું રાખે છે.જે હૃદયને નિયંત્રણ સાથે ધડકન પ્રદાન કરે છે.

અલ્લાહ તઆલા એ કહ્યું:﴿وَاللَّهُ أَخْرَجَكُمْ مِنْ بُطُونِ أُمَّهَاتِكُمْ لَا تَعْلَمُونَ شَيْئًا وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ لَعَلَّكُمْ تَشْكُرُونَ﴾ {અલ્લાહ તઆલાએ તમને તમારી માતાના પેટ માંથી (એવી સ્થિતિમાં) કાઢ્યા છે કે તમે કંઈ પણ નહતા જાણતા, તેણે જ તમારા કાન, આંખ અને દિલ બનાવ્યા, જેથી તમે આભાર વ્યક્ત કરો.}[૧૬: ૭૮].

ઇલાહ પાલનહાર માટે પોતાના દરેક ગુણોમાં પરિપૂર્ણ હોવું જરૂરી છે.

આપણા પાલનહારે આપણને એવી બુદ્ધિ આપી છે કે જે તેની મહાનતાને મહેસુસ કરી શકે છે, અને એવો સ્વભાવ આપ્યો જે તેની સપૂર્ણતાને પ્રમાણિત કરે છે, કે તેની અંદર કોઈ પણ પ્રકારની ખામી હોવી અશક્ય છે.

ઈબાદત ફક્ત એક અલ્લાહની જ કરવી જોઈએ, કારણકે તે એકલો જ ઈબાદતને લાયક છે, તેના સિવાય જેની પણ ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક બાતેલ છે, અધૂરા છે પૂર્ણ નથી અને સૌને મૃત્યુ આવશે અને નષ્ટ થઈ જશે.

માનવી, મૂર્તિ, વૃક્ષ અને જાનવરનું ઇલાહ હોવું અશક્ય છે.

એક બુદ્ધિશાળી વ્યક્તિ માટે યોગ્ય નથી કે તે એક સંપૂર્ણ (અલ્લાહને) છોડીને બીજાની ઈબાદત કરે, એવામાં પોતાના જેવા અથવા પોતાના કરતા પણ નીચા દરજ્જાવાળાની ઈબાદત કઈ રીતે થઈ શકે છે?

પાલનહાર કોઈ સ્ત્રીના ગર્ભમાં શિશુ બનીને નથી રહી શકતો અને બાળકની જેમ જન્મ નથી થઈ શકતો.

પાલનહારે જ સંપૂર્ણ સૃષ્ટિની રચના કરી છે, અને સંપૂર્ણ સૃષ્ટિ તેની આધીન છે, કોઈ પણ વ્યક્તિ તેને નુકસાન નથી પહોંચાડી શકતો, તેને ફાંસી પણ ચડાવવો, અઝાબ આપવો અને અપમાન કરવું કોઈના માટે શક્ય નથી.

પાલનહારને મોત નથી આવી શકતી!

પાલનહાર તો તે છે, જે ન તો ભૂલે છે અને ન તો સૂવે છે, અને ન તો ખાવાનું ખાઈ છે તે તો મહાન છે, તેના માટે શક્ય જ નથી કે તેની પત્ની અથવા સંતાન હોય, કારણકે તે પોતાના દરેક ગુણોમાં મહાન છે, એવું શક્ય જ નથી કે તેને કોઈ વસ્તુની જરૂર હોય અને તેનામાં કઈ ખામી હોય, કુરઆન અને હદીષ તેમજ ધાર્મિક પુસ્તકોના દરેક ઉદાહરણ જે પાલનહારની મહાનતા વિરુદ્ધ કોઈ પણ વસ્તુ હોય અને જેની નિસ્બત નબીઓ તરફ કરવામાં આવતી હોય, તે વિકૃત છે, અને તે સાચી વહીનો ભાગ નથી, જે મૂસા, ઈસા અલૈહિમુસ્ સલામ વગેરે જેવા પયગંબરો તરફ કરવામાં આવે છે.

અલ્લાહ તઆલા એ કહ્યું:يَا أَيُّهَا النَّاسُ ضُرِبَ مَثَلٌ فَاسْتَمِعُوا لَهُ إِنَّ الَّذِينَ تَدْعُونَ مِنْ دُونِ اللَّهِ لَنْ يَخْلُقُوا ذُبَابًا وَلَوِ اجْتَمَعُوا لَهُ وَإِنْ يَسْلُبْهُمُ الذُّبَابُ شَيْئًا لَا يَسْتَنْقِذُوهُ مِنْهُ ضَعُفَ الطَّالِبُ وَالْمَطْلُوبُ (73) {હે લોકો ! તમારી સમક્ષ એક ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે, કાન લગાવી સાંભળો ! અલ્લાહ સિવાય જેને પણ તમે પોકારો છો, જો તે બધા જ એકઠા થઇ જાય તો પણ એક માખીનું પણ સર્જન નથી કરી શકતા,પરંતુ જો માખી તેમની પાસેથી કોઈ વસ્તુ લઇ લે તો આ લોકો તો તેને પણ તેની પાસેથી છીનવી નથી શકતા, ખૂબ જ નબળો છે, જે માંગી રહ્યો છે અને ખૂબજ નબળો છે તે, જેની પાસે માંગવામાં આવી રહ્યું છે. (૭૩)مَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ (74) તે લોકોએ અલ્લાહની પ્રતિષ્ઠા પ્રમાણે અલ્લાહની કદર ન કરી, અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવર, ઝબરદસ્ત છે. (૭૪)}[૨૨: ૭૩,૭૪].

શું આપણો પાલનહાર આપણને વહી વગર છોડી શકે છે?

શું તે શક્ય છે કે અલ્લાહએ આ બધા જીવોને કોઈ હેતુ વિના પેદા કર્યા હોય? શું તેણે તેમને વ્યર્થ પેદા કર્યા છે? જ્યારે કે તે હિકમતવાળો અને સર્વજ્ઞાની છે?

શું તે શક્ય છે કે જેણે આપણને આટલી ચોકસાઈ અને સંપૂણતા સાથે પેદા કર્યા, અને આકાશો તેમજ જમીનની દરેક ફાયદાવાળી વસ્તુને આપણાં માટે આધીન કરી હોય, તો શું તે આપણને કોઈ હેતુ વગર પેદા કરી શકે છે? અથવા સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ લીધા વિના આપણને છોડી શકે છે? જેમાં આપણે વ્યસ્ત છે, જેમકે: આપણે અહીંયા કેમ છે? અને મૃત્યુ પછી શું? અને આપણાં સર્જનનો હેતુ શું છે?

સત્ય વાત એ છે કે અલ્લાહએ આપણી તરફ પયગંબરો મોકલ્યા, જેથી આપણે આપણાં અસ્તિત્વનો હેતુ અને આપણો પાલનહાર આપણી પાસે શું ઈચ્છે છે તે જાણી શકીએ!

અને અલ્લાહએ પયગંબરોને મોકલ્યા, જેથી તેઓ આપણને જણાવે કે અલ્લાહ એકલો જ ઈબાદતને લાયક છે, અને તે પયગંબરોએ આપણને તેની ઈબાદત કરવાનો તરીકો શીખવાડે, અને તેના આદેશો અને નિષેધ કાર્યોની જાણ કરે, અને એવી જ રીતે આપણને સારા અખ્લાક શીખવાડે, જો આપણે તેને અપનાવીએ તો આપણું જીવન સારું અને દરેક પ્રકારની ભલાઈઓ અને બરકતોથી ભરેલું હશે.

અને ખરેખર અલ્લાહએ ઘણા પયગંબરો મોકલ્યા, જેમકે: (નૂહ, ઈબ્રાહીમ, મૂસા ઈસા), અને તે પયગંબરોની મુઅજિઝા (ચમત્કારો) અને નિશાનીઓ આપી જે તેમના સાચા નબીઓ અને સર્જનહાર તરફથી મોકલેલા પયગંબરો હોવાનો પુરાવો આપે છે.

અને અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ છે. અને તેમના પર અલ્લાહ તઆલાએ કુરઆન કરીમ ઉતાર્યું.

અને ખરેખર તે પયગંબરોએ આપણને જણાવ્યું કે આ જીવન ફક્ત એક પરીક્ષા છે અને સાચુ જીવન તો મૃત્યુ પછીનું જીવન છે

અને ત્યાં એક અલ્લાહની ઈબાદત કરવાવાળા અને દરેક પયગંબરો પર ઈમાન ધરાવનારા મોમિનો માટે જન્નત છે, અને એવી જ રીતે ત્યાં અલ્લાહની સાથે સાથે અન્યની ઈબાદત કરનારા અથવા અલ્લાહએ મોકલેલા કોઈ પણ પયગંબર માંથી એક પણ પયગંબરનો ઇન્કાર કરનારાઓ માટે જહન્નમ છે.

અલ્લાહ તઆલા એ કહ્યું:

يَابَنِي آدَمَ إِمَّا يَأْتِيَنَّكُمْ رُسُلٌ مِنْكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي فَمَنِ اتَّقَى وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (35) {હે આદમના સંતાનો! જો તમારી પાસે તમારા માંથી જ કોઈ પયગંબર આવે, અને જે મારા આદેશોને તમારી સમક્ષ રજૂ કરે, તો જે વ્યક્તિ ડરવા લાગે અને સુધારો કરી લે તો તે લોકો પર ન તો કોઇ ભય હશે અને ન તો તે નિરાશ થશે. (૩૫)وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَاسْتَكْبَرُوا عَنْهَا أُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ (36) અને જે લોકો અમારા આદેશોને જુઠલાવી દીધા અને તેની સામે ઘમંડ કરે છે, તે લોકો જ જહન્નમી છે, તેઓ તેમાં હંમેશા રહેશે. (૩૬)}[૭: ૩૫, ૩૬].

અને પવિત્ર અલ્લાહ એ કહ્યું:﴿ أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ ﴾ {શુ આ લોકો એવું સમજે છે કે અમે તેમને બેકાર પેદા કર્યા છે, અને તેમને અમારી તરફ પાછા ફરવાનું નથી?}[૨૩: ૧૧૫].

પવિત્ર કુરઆન

કુરઆન કરીમ તે અલ્લાહનું કલામ (વાણી) અને વહી છે, જે તેણે પોતાના અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ પર ઉતાર્યું છે, અને તે એક મહાન મુઅજિઝો છે, જે નબી ﷺ ની નબૂવ્વતની સત્યતાનો પુરાવો છે, અને કુરઆન કરીમના દરેક આદેશો સાચા અને તેની દરેક જાણકારી સાચી છે, અને અલ્લાહ તઆલાએ તેને જૂઠલાવનાર લોકોને એક ચેલેન્જ આપ્યું કે તેઓ તેના જેવી એક સૂરહ બનાવી લઈ આવે, પરંતુ તેઓ તેની સામગ્રીની મહાનતા અને વ્યાપક્તાના કારણે આમ કરવામાં અસમર્થ રહ્યા, એવી જ રીતે તેમાં કેટલાક તાર્કિક અને વૈજ્ઞાનિક પુરાવાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે એ વાતનો પુરાવો છે કે આ કિતાબ માનવજાત તરફથી નથી, પરંતુ તે સમગ્ર સૃષ્ટિના પવિત્ર અને ઉચ્ચ પાલનહારની વાણી છે.

આટલી સંખ્યામાં પયગંબરો કેમ આવ્યા?

ખરેખર અલ્લાહએ શરૂઆતથી જ દરેક કોમ તરફ પયગંબરોને મોકલ્યા, જેથી લોકોને તેમના પાલનહાર તરફ દઅવત આપે અને તેમણે અલ્લાહના આદેશો અને નિષેધ પહોંચાડે, જે દરેક પયગંબરોની દઅવતનો સાર છે: સર્વશક્તિમાન અને મહાન અલ્લાહની ઈબાદત કરવી, જ્યારે પણ કોઈ કોમે પયગંબરોની શિક્ષાઓ છોડવા લાગ્યા અથવા તેમાં બગાડ કરવા લાગ્યા, તો અલ્લાહએ સુધાર અને તૌહિદ (એકેશવવાદ) અને અનુસરણનો માર્ગ દેખાડવા માટે બીજા પયગંબરને મોકલ્યા અને આ શ્રુખલાની અંતિમ કડી મુહમ્મદ ﷺ હતા, જે એક સંપૂર્ણ દીન અને કયામત સુધી પેદા થનાર દરેક લોકો માટે એક શાશ્વત અને પહેલાંની દરેક શરીઅતોને રદ કરવાવાળી શરીઅત લઈને આવ્યા, જેને કયામત સુધી બાકી રાખવાની ગેરંટી અલ્લાહએ આપી છે.

એટલા માટે આપણે સૌ મુસ્લિમ અલ્લાહના આદેશોનું પાલન કરી અલ્લાહ પર અને સાથે સાથે દરેક પયગંબરો અને પાછલી દરેક કિતાબો પર ઈમાન ધરાવીએ છીએ.

અલ્લાહ તઆલા એ કહ્યું:﴿ءَامَنَ ٱلرَّسُولُ بِمَاۤ أُنزِلَ إِلَیۡهِ مِن رَّبِّهِۦ وَٱلۡمُؤۡمِنُونَۚ كُلٌّ ءَامَنَ بِٱللَّهِ وَمَلَـٰۤىِٕكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ لَا نُفَرِّقُ بَیۡنَ أَحَدࣲ مِّن رُّسُلِهِۦۚ وَقَالُوا۟ سَمِعۡنَا وَأَطَعۡنَاۖ غُفۡرَانَكَ رَبَّنَا وَإِلَیۡكَ ٱلۡمَصِیرُ﴾ {પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર ! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે.}[2: 285]. [૨: ૨૮૫].

કોઈ પણ વ્યક્તિ દરેક પયગંબરો પર ઇમાન લાવ્યા વગર મોમિન નથી બની શકતો

અલ્લાહ જ છે, જેણે પયગંબરોને મોકલ્યા, જે વ્યક્તિ પણ તેમના માંથી એક પણ પયગંબરનો ઇન્કાર કરશે, તો તેણે દરેક પયગંબરોનો ઇન્કાર કર્યો, કારણકે તેનાથી મોટો કોઈ ગુનોહ નથી કે એક વ્યક્તિ અલ્લાહની વહીનો અસ્વીકાર કરે, અને જન્નતમાં દાખલ થવા માટે દરેક પયગંબરો પર ઈમાન લાવવું જરૂરી છે.

તેથી આજે દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે અલ્લાહના દરેક પયગંબરો પર ઈમાન લાવે, અને આ ફક્ત અલ્લાહના અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ પર જ ઈમાન લાવીને અને તેમનું અનુસરણ કરીને જ શક્ય થઈ શકે છે.

અલ્લાહએ પવિત્ર કુરઆનમાં વર્ણન કર્યું કે જે વ્યક્તિએ કોઈ પણ પયગંબરો માંથી એક પયગંબર પર ઈમાન લાવવાનો ઇન્કાર કરશે તો તેણે અલ્લાહનો ઇન્કાર કર્યો, અને તેની વહીને જુઠલાવી.

નીચે વર્ણવેલ આયતો પઢો:"إنَّ الَّذِينَ يَكْفُرُونَ بِاللَّهِ ورُسُلِهِ ويُرِيدُونَ أنْ يُفَرِّقُوا بَيْنَ اللَّهِ ورُسُلِهِ ويَقُولُونَ نُؤْمِنُ بِبَعْضٍ ونَكْفُرُ بِبَعْضٍ ويُرِيدُونَ أنْ يَتَّخِذُوا بَيْنَ ذَلِكَ سَبِيلًا {જે લોકો અલ્લાહનો અને તેના પયગંબરોનો ઇન્કાર કરે છે અને ઇચ્છે છે કે અલ્લાહ અને તેના પયગંબર વચ્ચે ભેદભાવ રાખે અને કહે છે કે કેટલાક પયગંબરો પર અમારું ઈમાન છે અને કેટલાક પર (ઈમાન) નથી અને એવું ઇચ્છે છે કે કૂફર અને ઈમાન વચ્ચે (એક ત્રીજો) માર્ગ અપનાવી લે.أُولَئِكَ هُمُ الكافِرُونَ حَقًّا وأعْتَدْنا لِلْكَفَرَيْنِ عَذابًا مُهِينًا﴾". આવા લોકો જ ખરેખર કાફિર છે, અને અમે કાફિરો માટે અપમાનિત કરવાવાળો અઝાબ તૈયાર કરી રાખ્યો છે.}[૪: ૧૫૦, ૧૫૧].

ઇસ્લામ શું છે?

ઇસ્લામ, અલ્લાહની તોહીદનો સ્વીકાર કરવો અને અલ્લાહ સમક્ષ માથું જુકાવી દેવું, આજ્ઞાકારી બની તેનો આદેશ માની લેવો, અને હૃદય પૂર્વક તેની શરીઅતનો સ્વીકાર કરવો.

અને ખરેખર અલ્લાહએ દરેક પયગંબરોને એક જ સંદેશો આપી મોકલ્યા: તે સંદેશ એ કે કોઈને પણ અલ્લાહનો ભાગીદાર ઠેહરાવ્યા વિના ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાની દઅવત આપવી.

ઇસ્લામ જ દરેક પયગંબરોનો દીન છે, તેમની દઅવત એક જ છે, પરંતુ તેમની શરીઅતો જુદી જુદી છે,, આજે ફક્ત મુસલમાનો જ તે સાચા દીન પર કાયમ છે, જે દરેક પયગંબરો લઈને આવ્યા હતા, અને આ સમયે ફક્ત ઇસ્લામનો સદેશ જ સાચો છે, બસ પાલનહારે ઇબ્રાહીમ, મૂસા, ઈસા અલૈહિમુસ્ સલામને મોકલ્યા, અને અલ્લાહએ જ અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ ને એવી ઇસ્લામી શરીઅત સાથે મોકલ્યા જેના દ્વારા પાછલી દરેક શરીઅતોને રદ કરી દેવામાં આવી.

આજે લોકો -ઇસ્લામ સિવાયના- તે દરેક ધર્મો જેનું લોકો અનુસરણ અને ઈબાદત કરી રહ્યા છે, તે એવા ધર્મો છે જેને માનવીઓએ બનાવ્યા છે, અથવા અલ્લાહ તરફથી આવેલા ધર્મો હતા, પરંતુ માનવીના હાથનું રમકડું બની ગયા, જેના કારણે પાખંડીઓની અંધશ્રદ્ધા, દંતકથાઓ અને માનવ પ્રયાસોનું મિક્ષણ બની ગયા, પરંતુ મુસલમાનોનો અકીદો (ધર્મ) પરિવર્તનથી સુરક્ષિત અને સ્પસ્ટ છે, જેમાં કોઈ ફેરફાર થયો નથી, બસ તમે પવિત્ર કુરઆનને જુઓ, જે દુનિયાના દરેક દેશોમાં એક જ પુસ્તકના રૂપમાં જોવા મળે છે.

અલ્લાહ તઆલા એ કુરઆનમાં કહ્યું:

قُلْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنْزِلَ عَلَيْنَا وَمَا أُنْزِلَ عَلَى إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَى وَعِيسَى وَالنَّبِيُّونَ مِنْ رَبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ (84) {તમે કહી દો કે અમે અલ્લાહ તઆલા અને જે કંઇ અમારા પર ઉતારવામાં આવ્યું છે અને જે કંઇ ઇબ્રાહીમ, ઇસ્માઇલ, યાકૂબ અને તેઓના સંતાનો પર ઉતારવામાં આવ્યું અને જે કંઇ મૂસા, ઇસા, અને બીજા પયગંબરોને અલ્લાહ તઆલા તરફથી આપવામાં આવ્યું. તે સૌ પર ઇમાન લાવ્યા. અમે તેઓ માંથી કોઇની વચ્ચે ભેદભાવ નથી કરતા અને અમે અલ્લાહ તઆલાના આજ્ઞાકારી છે. (૮૪)وَمَنْ يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَنْ يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ 85). {અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહીં આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે. (૮૫)}.[૩: ૮૪, ૮૫].

મુસલમાનો ઈસા અલૈહિસ્ સલામ વિષે શું અકીદો ધરાવે છે?

શું તમે જાણો છો કે મુસલમાનો માટે અલ્લાહના પયગંબર ઈસા અલૈહિસ્ સલામ પર ઈમાન લાવવું, તેમજ તેમની સાથે મોહબ્બત રાખવી, તેમનો આદર કરવો અને તેમનો સંદેશ 'એક અલ્લાહની ઈબાદત તરફ લોકોને આમંત્રણ આપવું જેનો કોઈ ભાગીદાર નથી", પર ઈમાન લાવવું જરૂરી છે, એવી જ રીતે મુસલમાનો અકીદો ધરાવે છે કે ઈસા અલૈહિસ્ સલામ અને પયગંબર મોહમ્મદ ﷺ બંને અલ્લાહના પયગંબર છે, અને અલ્લાહે તે બંનેને લોકોને અલ્લાહ અને જન્નતનો માર્ગ બતાવવા મોકલ્યા હતા.

અને આપણો અકીદો છે કે ઇસા અલૈહિસ્ સલામ અલ્લાહએ મોકલેલા મહાન પયગંબરો માંથી એક છે, અને આપણે એવો અકીદો ધરાવીએ છીએ કે તેઓ એક મુઅજિઝા દ્વારા પેદા થયા હતા, અને અલ્લાહએ આપણને કુરઆનમાં જણાવ્યું કે ઇસા અલૈહિસ્ સલામ એવી જ રીતે પિતા વગર પેદા કરવામાં હતા, જે રીતે આદમ અલૈહિસ્ સલામને માતા-પિતા વગર પેદા કરવામાં આવ્યા હતા, અને ખરેખર અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

અને આપણે અકીદો છે કે ઇસા અલૈહિસ્ સલામ ન તો ઇલાહ (પૂજ્ય) છે, ન તો અલ્લાહની સંતાન, અને ન તો તેમને ફાંસી પર લટકાવવામાં આવ્યા, પરંતુ તે જીવિત છે, અલ્લાહએ તેમને ઉપર ઉઠાવી લીધા છે, જેથી તેઓ છેલ્લા સમયે એક ન્યાયી શાસકના રૂપમાં આવે, તે સમયે તેઓ મુસલમાનોની સાથે હશે, કારણકે મુસલમાનો જ ઈસા અલૈહિસ્ સલામ અને અન્ય નબીઓ એ લાવેલ તૌહિદ (એકેશ્વરવાદ) પર ઈમાન ધરાવે છે.

ઉચ્ચ અને મહાન અલ્લાહએ પવિત્ર કુરઆનમાં જણાવ્યું કે નસ્રાનીઓ એ ઈસા અલૈહિસ્ સલામના આદેશને વિકૃત કરી નાખ્યો, અને તે સમયે કેટલાક ભટકેલા ગુમરાહ લોકો હતા જેમણે ઇન્જિલને પણ બદલી નાખી, અને તેમાં ફેરફાર કરી એવા પાઠોને ઉમેરો કરી દીધો, જે ઈસા અલૈહિસ્ સલામે કહ્યા ન હતા, જેનો પુરાવો એ જ કે આજે અલગ અલગ ઇન્જિલો જોવા મળે છે, અને તેમાં પણ ઘણો વિરોધાભાસ જોવા મળે છે.

અને અલ્લાહએ આપણને જણાવ્યું કે ઈસા અલૈહિસ્ સલામ પોતાના પાલનહારની ઈબાદત કરતાં હતા, તેમણે કોઈને પણ પોતાની ઈબાદત કરવાનો આદેશ ક્યારેય આપ્યો ન હતો, પરંતુ તેઓ પોતાની કોમને તેમના સર્જનહાર અલ્લાહની ઈબાદત કરવાનો આદેશ આપતા હતા, પરંતુ શૈતાને ઈસાઈઓને ઈસા અલૈહિસ્ સલામની ઈબાદતના માર્ગ પર લગાડી દીધા, તો અલ્લાહએ આપણને કુરઆનમાં જણાવ્યું કે અલ્લાહ ક્યારે પણ તેના સિવાયના પૂજયોની ઈબાદત કરનારાને માફ નહીં કરે, અને કયામતના દિવસે ઈસા અલૈહિસ્ સલામ પોતાની ઈબાદત કરનારા સાથે પોતાનો સંબંધ તોડી નાંખશે, અને તેઓ કહેશે કે મેં તમને સૃષ્ટિના સર્જનહારની ઈબાદત કરવાનું કહ્યું હતું, મેં તમને મારી ઈબાદત કરવા વિષે ક્યારેય કહ્યું ન હતું, તેની દલીલો માંથી એક દલીલ, અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿یَـٰۤأَهۡلَ ٱلۡكِتَـٰبِ لَا تَغۡلُوا۟ فِی دِینِكُمۡ وَلَا تَقُولُوا۟ عَلَى ٱللَّهِ إِلَّا ٱلۡحَقَّۚ إِنَّمَا ٱلۡمَسِیحُ عِیسَى ٱبۡنُ مَرۡیَمَ رَسُولُ ٱللَّهِ وَكَلِمَتُهُۥۤ أَلۡقَىٰهَاۤ إِلَىٰ مَرۡیَمَ وَرُوحࣱ مِّنۡهُۖ فَـَٔامِنُوا۟ بِٱللَّهِ وَرُسُلِهِۦۖ وَلَا تَقُولُوا۟ ثَلَـٰثَةٌۚ ٱنتَهُوا۟ خَیۡرࣰا لَّكُمۡۚ إِنَّمَا ٱللَّهُ إِلَـٰهࣱ وَ ٰ⁠حِدࣱۖ سُبۡحَـٰنَهُۥۤ أَن یَكُونَ لَهُۥ وَلَدࣱۘ لَّهُۥ مَا فِی ٱلسَّمَـٰوَ ٰ⁠تِ وَمَا فِی ٱلۡأَرۡضِۗ وَكَفَىٰ بِٱللَّهِ وَكِیلࣰا﴾ {હે અહલે કિતાબ! પોતાના દીનમાં ગુલૂ ન કરો અને અલ્લાહ તઆલા માટે સત્યવાત સિવાય બીજું કંઈ ન કહો, મસીહ ઈસા બિન મરયમ તો ફકત અલ્લાહ તઆલાના પયગંબર અને તેનો કલ્મો હતા. જેને અલ્લાહએ મરયમ તરફ મોકલ્યો હતો, તે તેની તરફ એક રૂહ હતા, એટલા માટે તમે અલ્લાહ અને તેના સૌ પયગંબરો પર ઈમાન લાવો અને એવું ન કહો કે (અલ્લાહ) ત્રણ છે, આવું કહેવાનું છોડી દો, આ જ તમારા માટે ઉત્તમ છે, ફક્ત અલ્લાહ એકલો જ ઇલાહ છે, તે આ વાતથી પાક છે કે તેની કોઈ સંતાન હોય,જે કંઈ આકાશોમાં છે અને જે કંઈ ધરતીમાં છે, બધું જ અલ્લાહનું છે, અને અલ્લાહ એકલો જ (સૃષ્ટિની વ્યવસ્થા કરવા માટે) પૂરતો છે.}[૪: ૧૭૧].

અલ્લાહ તઆલા એ કહ્યું:(وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِن دُونِ اللَّهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِن كُنتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنتَ عَلَّامُ الْغُيُوبِ {અને તે સમય પણ યાદ કરવા જેવો છે કે જ્યારે અલ્લાહ તઆલા ક્યામયના દિવસે કહેશે કે હે ઈસા બિન મરયમ! શું તમે તે લોકોને કહ્યું હતું કે અલ્લાહને છોડીને મને અને મારી માતાને ઇલાહ બનાવી લો? ઈસા જવાબ અપાશે, હે અલ્લાહ! તું પવિત્ર છે, હું આવી વાત કેવી રીતે કરી શકું છું, જે વાત કરવાનો મને આદેશ ન હતો? જો મેં આ પ્રમાણેની વાત કહી હોત તો તું સારી રીતે આ વાત જાણતો હોત, કારણકે જે કંઈ પણ મારા દિલમાં છે, તે તું જાણે છે અને જે કંઈ તારા દિલમાં છે તે હું નથી જાણતો, તું તો છુપાયેલી વાતોને પણ સારી રીતે જાણવવાળો છે.}[૫: ૧૧૬].

જે વ્યક્તિ આખિરતમાં નજાત મેળવવા ઈચ્છતો હોય, તે ઇસ્લામ સ્વીકારી અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ નું અનુસરણ કરે

દરેક નબીઓ અને પયગંબરો તે વાત પર એકમત છે કે આખિરતમાં ફક્ત મુસલમાનોને જ મુક્તિ મળશે, જેઓ એક અલ્લાહ પર ઈમાન ધરાવે છે, અને કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવતા નથી, અને દરેક નબીઓ તથા પયગંબરો પર ઈમાન ધરાવે છે, તેથી જે લોકો અલ્લાહના પયગંબર મૂસા અલૈહિસ્ સલામના સમયે હતા અને તેમના પર ઈમાન લાવ્યા અને તેમણે લાવેલ શિક્ષાઓનું અનુસરણ કર્યું, તો તેઓ સાચા મુસલમાન અને મોમિન હતા, પરંતુ જ્યારે અલ્લાહએ ઈસા અલૈહિસ્ સલામને મોકલ્યા તો મૂસા અલૈહિસ્ સલામના અનુયાયીઓ માટે ઈસા અલૈહિસ્ સલામ પર ઈમાન લાવવું અને તેમનું અનુસરણ કરવું જરૂરી છે, તો આવી સ્થિતિમાં જે લોકો ઈસા અલૈહિસ્ સલામ પર ઈમાન લઈ આવ્યા, તો તેઓ જ સદાચારી મુસલમાન છે, તે વિરુદ્ધ જે વ્યક્તિ ઈસા અલૈહિસ્ સલામનો ઇન્કાર કરે અને કહે કે હું તો મૂસા અલૈહિસ્ સલામના દીન પર કાયમ છું, તો તે મોમિન નથી; કારણકે તેણે અલ્લાહએ મોકલેલા એક પયગંબર પર ઈમાન લાવવાથી ઇન્કાર કર્યો, ફરી જ્યારે અલ્લાહ તઆલાએ અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ ને મોકલ્યા, તો દરેક લોકો માટે જરૂરી છે કે તેઓ તેમના પર ઈમાન લાવે; કારણકે જે પાલનહારે મૂસા અલૈહિસ્ સલામ અને ઈસા અલૈહિસ્ સલામને મોકલ્યા હતા, તેણે જ અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ ને મોકલ્યા છે, તો જે વ્યક્તિ મુહમ્મદ ﷺ ને માનવાથી ઇન્કાર કરી દે અને કહે કે હું તો મૂસા અલૈહિસ્ સલામ અને ઈસા અલૈહિસ્ સલામનું જ અનુસરણ કરતો રહીશ તો તે મોમિન નથી.

કોઈ વ્યક્તિનું એવું કહેવું તેના માટે પૂરતું નથી કે તે મુસલમાનોનો આદર કરે છે, અને ન તો આખિરતમાં નજાત પ્રાપ્ત કરવા માટે સદકો આપવો અને ગરીબોની મદદ કરવી પૂરતી છે, પરંતુ તેના માટે અલ્લાહ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર અને આખિરતના દિવસ પર ઈમાન લાવવું જરૂરી છે, ત્યારે જ અલ્લાહ તેના સત્કાર્યો કબૂલ કરશે! શિર્ક, કુફ્ર અને અલ્લાહએ ઉતારેલી વહીને જુઠલાવવી અથવા તેના અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ ની પયગંબરીને જુઠલાવવા સિવાય બીજો કોઈ મોટો ગુનોહ નથી, બસ યહૂદીઓ, ઈસાઇઓ અને અન્ય બીજા લોકો જેઓ મુહમ્મદ ﷺ ના સંદેશા વિષે સાંભળે અને તેમના પર ઈમાન લાવવા અને ઇસ્લામનો સ્વીકાર કરવાથી ઇન્કાર કરે, તો તેઓ જહન્નમમાં જશે અને તેઓ ત્યાં હંમેશા હંમેશ રહેશે, જેમકે અલ્લાહ તઆલા એ કહ્યું:

{إِنَّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَالْمُشْرِكِينَ فِي نَارِ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۚ أُولَـٰئِكَ هُمْ شَرُّ الْبَرِيَّةِ} {અહલે કિતાબ અને મુશરિક લોકો માંથી જે લોકોએ કુફ્ર કર્યું , તે સૌ જહન્નમની આગમાં જશે, જ્યાં તેઓ હંમેશા રહેશે, આ લોકો દરેક સર્જનીઓ માંથી દુષ્ટ સર્જન છે.}[૬: ૯૮].

જો કે અલ્લાહ તરફથી માનવજાતિ માટે અંતિમ સંદેશો આવી ચૂક્યો છે, એટલા માટે તે દરેક વ્યક્તિ જે ઇસ્લામ વિષે સાંભળે, તેના માટે જરૂરી છે, કે તે તેના પર ઈમાન લાવે, તેના નિયમોનું પાલન કરે અને તેના આદેશો અને પ્રતિબંધોનું અનુસરણ કરે, ફરી જે વ્યક્તિ પણ આ અંતિમ સંદેશાને સાંભળ્યા પછી પણ તેને સ્વીકારવાથી ઇન્કાર કરે, તો અલ્લાહ તેની પાસેથી કઈ પણ સ્વીકારશે નહીં (અર્થાત્ તેણે ઇસ્લામ સિવાય અપનાવેલો કોઈ પણ ધર્મ સ્વીકારશે નહીં), અને તેને આખિરતમાં અઝાબ આપવામાં આવશે. તેની દલીલો માંથી એક દલીલ, અલ્લાહ તઆલા એ કહ્યું:

﴿وَمَن یَبۡتَغِ غَیۡرَ ٱلۡإِسۡلَـٰمِ دِینࣰا فَلَن یُقۡبَلَ مِنۡهُ وَهُوَ فِی ٱلۡـَٔاخِرَةِ مِنَ ٱلۡخَـٰسِرِینَ﴾ {અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહીં આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે}[૩: ૮૫].

અને અલ્લાહ તઆલા એ કહ્યું:(قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ) {તમે કહી દો કે હે કિતાબવાળાઓ ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે, અને એ વાત એ કે આપણે અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ, ન તો તમારા માંથી કોઈ વ્યક્તિ અલ્લાહ તઆલાને છોડીને અન્યને રબ બનાવે, જો તેઓ આ વાતથી મોઢું ફેરવી લે તો તમે કહી દો કે સાક્ષી રહો અમે તો મુસલમાન છે}[૩: ૬૪].

મારે મુસલમાન બનવા માટે શું કરવું પડશે?

મુસલમાન થવા માટે નીચે વર્ણવેલ છો વસ્તુઓ પર ઈમાન લાવવું પડશે:

૧- અલ્લાહ પર ઈમાન જે સર્જનહાર, રોજી આપનાર, વ્યવસ્થપાક, અને માલિક છે, તેના જેવું કોઈ નથી, તેની ન તો પત્ની છે ન તો સંતાન, અને તે એકલો જ ઈબાદતને લાયક છે.

૨- તે વાત પર ઈમાન કે ફરિશ્તાઓ અલ્લાહના બંદાઓ છે, જેમને અલ્લાહએ નૂર (પ્રકાશ) દ્વારા પેદા કર્યા છે, તેમનું એક કાર્યો તે છે કે તેઓ અલ્લાહ તરફથી વહી લઈ પયગંબરો પાસે આવે છે.

૩- નબીઓ પર અલ્લાહ તરફથી અવતરિત થનારી દરેક કિતાબો પર ઇમાન, (જેમકે: તૌરાત, ઇન્જીલ, -તેના ફેરફાર પહેલા-) અને છેલ્લી કિતાબ પવિત્ર કુરઆન પર ઈમાન લાવવું જરૂરી છે.

૪- દરેક પયગંબરો જેમકે; નૂહ, ઈબ્રાહીમ, મૂસા, ઈસા અને અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ પર ઈમાન લાવવું,, અને તે વાત પર ઈમાન ધરાવવું કે તેઓ સૌ માનવીઓ હતા, તેમના પર અલ્લાહએ વહી ઉતારી હતી, અને તેમને એવા મુઅજિઝાઓ અને નિશાનીઓ આપી હતી જે તેમના સાચા નબી હોવાનો પુરાવો હતી.

૫- આખિરતના દિવસ પર ઈમાન લાવવું, જ્યારે અલ્લાહ દરેક પહેલા અને પાછલા લોકોને જીવિત કરી ફરીવાર ઊભા કરશે અને તેમની વચ્ચે નિર્ણય કરશે, અને મોમિનોને જન્નતમાં દાખલ કરશે, અને કાફિરોને જહન્નમમાં દાખલ કરશે.

૬- તકદીર પર ઈમાન લાવવું, અને તે વાત પર ઈમાન લાવવું કે અલ્લાહ જે કઈ પણ ભૂતકાળમાં થઈ ચૂક્યું છે અને જે કઈ પણ ભવિષ્યમાં થવાનું છે, તેને સંપૂર્ણ રીતે જાણે છે, અને અલ્લાહએ દરેક વસ્તુને લખી પણ રાખી છે, આ સૃષ્ટિમાં જે કઈ પણ થાય છે, તે અલ્લાહની ઈચ્છા પ્રમાણે જ થાય છે, અને તે જ દરેક વસ્તુને પેદા કરનાર છે.

ઇસ્લામ ખુશીઓનો માર્ગ છે

ઇસ્લામ દરેક પયગંબરોનો ધર્મ છે, હા! આ ફક્ત અરબના લોકોનો ધર્મ નથી, પરંતુ સમગ્ર માનવજાતિ માટેનો ધર્મ છે.

ઇસ્લામ જ દુનિયાની સાચી ખુશી અને આખિરતની શાશ્વત ખુશીનો માર્ગ છે.

ઇસ્લામ જ એક માત્ર એવો ધર્મ છે, જે શરીર અને આત્મા બંનેની જરૂરતો પૂરી પાડે છે, અને દરેક માનવ સમસ્યાનોનો ઉલેક બતાવે છે.

અલ્લાહ તઆલા એ કહ્યું:

{قَالَ اهْبِطَا مِنْهَا جَمِيعًا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ فَإِمَّا يَأْتِيَنَّكُمْ مِنِّي هُدًى فَمَنِ اتَّبَعَ هُدَايَ فَلا يَضِلُّ وَلا يَشْقَى {અલ્લાહ તઆલાએ કહ્યું કે તમે બન્ને (અર્થાત ઇન્સાન અને શેતાન) અહીંયાથી ઊતરી જાવ, તમે એકબીજાના દુશ્મન છો, હવે તમારી પાસે ક્યારેય મારા તરફથી માર્ગદર્શન આવે તો, જે મારા માર્ગદર્શનનું અનુસરણ કરશે તો તે ન તો ગુમરાહ થશે અને ન તો તેને તકલીફ ઉઠવવી પડશે. (૧૨૩)وَمَنْ أَعْرَضَ عَنْ ذِكْرِي فَإِنَّ لَهُ مَعِيشَةً ضَنْكًا وَنَحْشُرُهُ يَوْمَ الْقِيَامَةِ أَعْمَى { અને જે મારી યાદથી મોઢું ફેરવશે તેનું જીવન તંગીમાં રહેશે. અને કયામતના દિવસે અમે તેને આંધળો કરી ઉઠાવીશું (124) }[૨૦: ૧૨૩, ૧૨૪].

ઇસ્લામને સ્વીકાર કરવાથી મને શું ફાયદો થશે?

ઇસ્લામ સ્વીકારવાના ઘણા ફાયદા છે, જેમકે:

- દુનિયામાં સફળતા અને સન્માન કે માનવી અલ્લાહનો બંદો બની જીવન પસાર કરે, નહીં તો તે શૈતાન, અને પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરનારો બંદો બની જાય છે.

- આખિરતની મહાન સફળતા એ છે કે અલ્લાહ જહન્નમથી નજાત આપી જન્નતમાં દાખલ કરી દે, અને અલ્લાહની પસન્નતા અને હંમેશા રહેવા વાળી જન્નતમાં દાખલ કરે.

- જે લોકોને અલ્લાહ જન્નતમાં દાખલ કરશે, તેઓ મૃત્યુ, બીમારી, દુ:ખ, ઘડપણ અથવા તકલીફથી બચીને હંમેશાવાળી ખુશીમાં રહેશે, અને તેમની પાસે તે દરેક વસ્તુઓ તેમને પ્રાપ્ત થશે જેની તેઓ ઈચ્છા કરશે.

- ત્યાં જન્નતમાં એવી નેઅમતો છે, જેને ન તો કોઈ આંખે જોઈ હશે, ન તો કોઈ કાને તેના વિષે સાંભળ્યું હશે, અને ન તો તેની કલ્પના કોઈ માનવીના દિલે કરી હશે.

તેની દલીલો માંથી એક દલીલ, અલ્લાહ તઆલા એ કહ્યું:﴿مَنۡ عَمِلَ صَـٰلِحࣰا مِّن ذَكَرٍ أَوۡ أُنثَىٰ وَهُوَ مُؤۡمِنࣱ فَلَنُحۡیِیَنَّهُۥ حَیَوٰةࣰ طَیِّبَةࣰۖ وَلَنَجۡزِیَنَّهُمۡ أَجۡرَهُم بِأَحۡسَنِ مَا كَانُوا۟ یَعۡمَلُونَ﴾ {અને જે વ્યક્તિ ઈમાનની સ્થિતિમાં નેક કાર્યો કરશે, પુરુષ હોય કે સ્ત્રી, તો ખરેખર અમે તેમને શ્રેષ્ઠ જીવન આપીશું, અને તેમના નેક કાર્યોનો શ્રેષ્ઠ બદલો અમે તેમને જરૂર આપીશું.}[૧૬: ૯૭].

જો હું ઇસ્લામનો સ્વીકાર ન કરું તો મને શું નુકસાન થશે?

જે લોકો ઇસ્લામને સ્વીકાર કરવાથી ઇન્કાર કરી દે, તેઓ સૌથી મોટી જાણકારી પ્રાપ્ત કરવાથી વંચિત રહી જાય છે, જે અલ્લાહની ઓળખ અને તેના વિષેની માહિતી છે, તેની સાથે સાથે તેઓ અલ્લાહ પર ભરોસો કરવાનું પણ ખોઈ દે છે, જે દુનિયાના જીવનમાં સુરક્ષા અને મનની શાંતિ પ્રદાન કરે છે, અને સાથે સાથે આખિરતમાં હંમેશાવાળી નેઅમતો (ભેટો) થી પણ વંચિત રહી જાય છે.

એવી જ રીતે તે અલ્લાહ તરફથી માનવીઓ માટે મોકલવામાં આવેલી મહાન કિતાબમાં ચિંતન મનન કરવાનું અને તે મહાન કિતાબ પર ઈમાન લાવવાથી પણ વંચિત રહી જાય છે.

એવી જ રીતે માનવી અલ્લાહના મહાન પયગંબરો પર ઈમાન લાવવાથી અને કયામતના દિવસે જન્નતમાં તેમની સાથે દાખલ થવાથી પણ વંચિત થઈ જાય છે, તે સિવાય તેને શૈતાન, જાલિમો અને ગુનેગારો સાથે જહન્નમમાં દાખલ થવું પડશે, અને આ ઠેકાળું પણ ખરાબ અને આ સાથીઓ પણ ખરાબ.

અલ્લાહ તઆલા એ કહ્યું:

قُلْ إِنَّ الْخَاسِرِينَ الَّذِينَ خَسِرُوا أَنْفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ الْقِيَامَةِ أَلا ذَلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِينُ (15) {તમે તેના સિવાય જેની બંદગી કરવા ઇચ્છો, કરતા રહો, કહી દો! કે સાચે જ મુક્સાન ઉઠાવનારા તે લોકો છે, જેમણે કયામતનાં દિવસે પોતાને અને પોતાના ઘરવાળાઓને નુકસાનમાં નાંખી દીધા, યાદ રાખો કે ખુલ્લું નુકસાન, આ જ છે. (૧૫)لَهُمْ مِنْ فَوْقِهِمْ ظُلَلٌ مِنَ النَّارِ وَمِنْ تَحْتِهِمْ ظُلَلٌ ذَلِكَ يُخَوِّفُ اللَّهُ بِهِ عِبَادَهُ يَا عِبَادِ فَاتَّقُونِ } . આવા લોકો માટે તેમના ઉપર પણ આગના વાદળો હશે અને નીચે પણ, આ જ તે વસ્તુ છે, જેનાથી અલ્લાહ તઆલા બંદાઓને ડરાવી રહ્યો છે. હે મારા બંદાઓ! બસ! તમે મારાથી ડરતા રહો. (૧૬) }[૩૯: ૧૫, ૧૬].

નિર્ણય લેવામાં વિલંભ ન કરો!

આ દુનિયા કાયમી ઠેકાળું નથી...

તેની દરેક સુંદરતા અને દરેક મનેચ્છાઓ ખતમ થઈ જશે...

અને નજીકમાં જ એક દિવસ એવો આવશે, જ્યારે માનવીએ પોતાના દરેક કાર્યોનો હિસાબ આપવો પડશે, અને તે કયામતનો દિવસ હશે, અલ્લાહ તઆલા એ કહ્યું:{وَوُضِعَ الْكِتَابُ فَتَرَى الْمُجْرِمِينَ مُشْفِقِينَ مِمَّا فِيهِ وَيَقُولُونَ يَا وَيْلَتَنَا مَالِ هَذَا الْكِتَابِ لاَ يُغَادِرُ صَغِيرَةً وَلاَ كَبِيرَةً إِلاَّ أَحْصَاهَا وَوَجَدُوا مَا عَمِلُوا حَاضِرًا وَلاَ يَظْلِمُ رَبُّكَ أَحَدًا} {અને કર્મનોંધ દરેકની સામે મૂકી દેવામાં આવશે, બસ ! તમે પાપી લોકોને જોશો કે તેના લખાણથી ભયભીત થઇ રહ્યા હશે અને કહી રહ્યા હશે કે હાય ! અમારી ખરાબી આ કેવું પુસ્તક છે ? આ પુસ્તકે તો ન તો કોઈ નાની વાત છોડી છે અને ન તો કોઈ મોટી વાત, અને જે કંઈ તે લોકોએ કર્યું હતું બધું જ તેમાં હશે. અને તમારો પાલનહાર કોઈના પર (કણ બરાબર) ઝુલ્મ નહીં કરે.}[૧૮: ૪૯].

અને ખરેખર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલા એ જણાવ્યું કે જે પણ ઇસ્લામનો સ્વીકાર નહીં કરે, તેનું ઠેકાળું જહન્નમ છે અને તે હંમેશા તેમાં રહેશે.

અને આ નુકસાન સહેલું નથી, પરંતુ બહુ મોટું નુકસાન છે, અલ્લાહ તઆલા એ કહ્યું:{وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ } {અને જે વ્યક્તિ ઇસ્લામ વગર બીજો દીન શોધે તેનો દીન કબૂલ કરવામાં નહીં આવે અને તે આખિરતમાં નુકસાન ઉઠાવનારાઓ માંથી હશે.}[૩: ૮૫].

ઇસ્લામ જ તે દીન (ધર્મ) છે જેના સિવાય અલ્લાહ અન્ય કોઈ દીન અથવા ધર્મને કબૂલ કરતો નથી.

બસ અલ્લાહએ જ આપણને પેદા કર્યા છે અને આપણે તેની તરફ જ પાછા ફરવાનું છે, અને આ દુનિયાતો આપણાં માટે એક પરીક્ષાખંડ છે.

દરેક માનવીએ તે વાત પર ભરોસો રાખવો જોઈએ કે આ દુનિયા તો એક સપના જેવી નાની છે... અને કોઈ નથી જાણતું કે તેનું ક્યારે મૃત્યુ થશે!

તો તમારી પાસે પોતાના પાલનહાર સમક્ષ શું જવાબ હશે, જ્યારે તમને કયામતના દિવસે સવાલ કરવામાં આવશે કે તેમે કેમ સત્યનું અનુસરણ ન કર્યું? અને અંતિમ પયગંબરનું અનુસરણ કેમ ન કર્યું?

તો તમે પોતાના પાલનહારને કયામતના દિવસે શું જવાબ આપશો, જ્યારે કે તેણે તમને કુફ્રના પરિણામો જણાવી દીધા હતા, અને જણાવી દીધું હતું કે કુફ્રનો પરિણામ હંમેશાવાળી જહન્નમ છે?

અને અલ્લાહ તઆલા એ કહ્યું:﴿وَالَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِآيَاتِنَا أُولَئِكَ أَصْحَابُ النَّارِ هُمْ فِيهَا خَالِدُونَ﴾ {અને જે ઇન્કાર કરી અમારી આયતો ને જુઠલાવે તે જહન્નમીઓ છે અને હંમેશા તેમાં જ રહેશે.}[2: 39]. [૨: ૩૯].

સત્યને છોડી પોતાના પૂર્વજોનું અનુસરણ કરનારાનું કોઈ પણ બહાનું યોગ્ય નહીં ગણાય

સર્વશ્રેષ્ઠ અલ્લાહએ આપણને જણાવ્યું કે કેટલાક લોકો સામાજિક દબાણ અને ભયના કારણે ઇસ્લામનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરે છે જેમાં તેઓ રહે છે.

એવી જ રીતે કેટલાક લોકો ઇસ્લામને ફક્ત એટલા માટે નકારે છે, કે તેઓ પોતાની માન્યતાઓને બદલવા નથી ઇચ્છતા, જે તેમને પોતાના પૂર્વજો દ્વારા વારસામાં મળી છે, અથવા જે સમાજમાં તેઓ રહે છે, તેના દ્વારા તેમને પ્રાપ્ત થઈ છે, એવી જ રીતે કેટલાક લોકો દુશ્મનીના કારણે ઇસ્લામ સ્વીકારતા નથી, જે તેમને વારસામાં મળી છે.

આ દરેક લોકો પાસે ઇસ્લામને અસ્વીકાર કરવાનું કોઈ યોગ્ય કારણ નથી, અને તેઓ અલ્લાહ સમક્ષ કોઈ દલીલ કે પુરાવા વગર ઊભા રહેશે.

એવી જ રીતે એક નાસ્તિકનું એવું કહેવું કે હું નાસ્તિક જ રહીશ; કારણકે હું નાસ્તિક લોકોના ઘરમાં પેદા થયો છું, તો તે પણ કોઈ બહાનું નથી! પરંતુ તેના માટે જરૂરી છે કે તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે, જે અલ્લાહએ તેને આપી છે, આકાશ અને જમીનની મહાનતા પર ચિંતન મનન કરે, અને તેણે પોતાની બુદ્ધિ વડે વિચારવું જોઈએ, જે તેના સર્જનહારે તેને આપી છે, તે વાતનો એહસાસ કરવો કે આ સૃષ્ટિનો એક સર્જક છે, એવી જ રીતે જે વ્યક્તિ પથ્થરો અને મૂર્તિઓની પૂજા કરે છે, તેના માટે પણ પોતાના પૂર્વજોનું અનુસરણ કરવામાં કોઈ યોગ્ય બહાનું નથી, પરંતુ તેણે સત્યતાની શોધ કરવી જોઈએ, અને પોતાને સવાલ કરવો જોઈએ કે આવી જ રીતે હું એક નિર્જીવ વસ્તુની ઈબાદત કેમ કરું, જે ન તો મને સાંભળી શકે છે ન તો મને જોઈ શકે છે, અને ને તો મને કોઈ ફાયદો પહોંચાડી શકે છે?!

એવી જ રીતે એક ઈસાઈ, જે ફિતરત અને તર્ક વિરુદ્ધ વસ્તુઓ પર ભરોસો કરે છે, તેણે પોતાને સવાલ કરવો જોઈએ કે એક પાલનહાર પોતાની સંતાનને જેણે કોઈ ગુનોહ કર્યો ન હતો અને તેને બીજાના ગુનાહોના કારણે કેવી રીતે મારી શકે છે?! આ અન્યાય છે! અને તે કેવી રીતે શક્ય છે કે તે અલ્લાહની સંતાનને ફાંસી પણ ચઢાવી દે, અને મારી નાખે! શું પાલનહાર પોતાની સંતાનને માર્યા વગર માનવીઓના ગુનાહ માફ કરવા પર સક્ષમ નથી? શું પાલનહાર પોતાની સંતાન બચાવવા માટે પણ સક્ષમ નથી?

બુદ્ધિશાળી વ્યક્તિ માટે જરૂરી છે કે તે સત્યની શોધ કરી તેનું અનુસરણ કરે, અને અયોગ્ય રીતે પોતાના પૂર્વજોનું અનુસરણ ન કરે.

અલ્લાહ તઆલા એ કહ્યું:﴿وَإِذَا قِیلَ لَهُمۡ تَعَالَوۡا۟ إِلَىٰ مَاۤ أَنزَلَ ٱللَّهُ وَإِلَى ٱلرَّسُولِ قَالُوا۟ حَسۡبُنَا مَا وَجَدۡنَا عَلَیۡهِ ءَابَاۤءَنَاۤۚ أَوَلَوۡ كَانَ ءَابَاۤؤُهُمۡ لَا یَعۡلَمُونَ شَیۡـࣰٔا وَلَا یَهۡتَدُونَ﴾ {અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે આઓ! તે વસ્તુ તરફ જે અલ્લાહ તઆલાએ ઉતારી છે અને આઓ રસૂલ તરફ, તો કહે છે કે અમારા માટે તે જ પૂરતુ છે જેના પર અમે અમારા પૂર્વજોને જોયા, ભલેને તેઓના પૂર્વજો કંઈ પણ જાણતા ન હોય, અને ન તો હિદાયત પર હોય. (તો પણ તેઓ તેમનું જ અનુસરણ કરશે)}[૫: ૧૦૪].

જે વ્યક્તિ ઇસ્લામનો સ્વીકાર કરવા ઈચ્છતો હોય, પરંતુ તેને પોતાના સગા સંબંધીઓના નુકસાનનો ભય હોય તો તેણે શું કરવું જોઈએ?

જે વ્યક્તિ ઇસ્લામનો સ્વીકાર કરવા ઈચ્છતો હોય, પરંતુ તે પોતાના આસપાસના માહોલથી ભયભીત થતો હોય, તો તેણે ઇસ્લામનો સ્વીકાર કરી લેવો જોઈએ અને તેને છુપાવીને રાખવો જોઈએ, જ્યાં સુધી અલ્લાહ તેના માટે કોઈ બેહતર રસ્તો કાઢી ન આપે, જ્યારે તે સ્વતંત્ર થઈ જાય પછી પોતાનો ઇસ્લામ જાહેર કરી શકે છે.

બસ માનવી માટે જરૂરી છે કે તેણે તરત જ ઇસ્લામ સ્વીકારી લેવો જોઈએ, પરંતુ જો તેના માટે નુકસાનકારક હોય, તો તે પોતાની આસપાસના લોકોને પોતાના ઇસ્લામ સ્વીકાર કરવા બાબતેની જાણ કરવા કે તેનો ફેલાવો કરવાને પાબંદ નથી.

જાણી લો કે જે વ્યક્તિ ઇસ્લામ સ્વીકારી લે, તો તે મુસલમાનોનો ભાઈ બની જાય છે, અને તે પોતાના શહેરની મસ્જિદ અથવા કેન્દ્ર સાથે સંપર્ક કરી શકે છે, અને તેમની જોડે વાર્તાલાભ કરી મદદ માંગી શકે છે, અને તેના આમ કરવાથી તેઓ ખુશ થશે.

અલ્લાહ તઆલા એ કહ્યું:

{وَمَنْ يَتَّقِ اللَّهَ يَجْعَلْ لَهُ مَخْرَجًا وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِب} {અને જે વ્યક્તિ અલ્લાહથી ડરતો હોય તો અલ્લાહ તેના માટે (પરેશાનીથી) છૂટકારા માટે કોઈ માર્ગ બનાવી દેશે. (૨) અને તેને એવી જ્ગ્યાએથી રોજી પહોંચાડશે, જેની તેને કલ્પના પણ ન હોય (૩)}[૬૫: ૨, ૩].

પ્રિય વાંચક!

શું આપણે સર્જનહાર અલ્લાહને ખુશ ન કરવો જોઈએ -જેણે આપણને દરેક પ્રકારની નેઅમતો આપી, અને જેણે આપણને ખાવાનું આપ્યું જ્યારે આપણે આપણી માતાના પેટમાં શિશુના રૂપમાં હતા, અને આપણને તે હવા આપી જેમાં આપણે શ્વાસ લઈ રહ્યા છે- તો શું આપણે લોકોને ખુશ કરવા કરતાં તેને રાજી ન કરવો જોઈએ?

શું દુનિયા તેમજ આખિરતની સફળતા માટે આ ક્ષણિક સુખોનો ત્યાગ કરવો યોગ્ય નથી? અલ્લાહની કાસમ યોગ્ય છે!

તમને તમારું ભૂતકાળ ભૂલોથી બચવા, સત્ય માર્ગ અપનાવવા અને સત્કાર્યો કરવાથી રોકી ન દે.

આજે જ સાચા મોમિન બની જાઓ! અને શૈતાનને તે વાતનો મોકો ન આપો કે તે તમને સત્યનું અનુસરણ કરવાથી રોકી દે!

અલ્લાહ તઆલા એ કહ્યું:

{يَا أَيُّهَا النَّاسُ قَدْ جَاءَكُمْ بُرْهَانٌ مِنْ رَبِّكُمْ وَأَنزلْنَا إِلَيْكُمْ نُورًا مُبِينًا (174) {હે લોકો! તમારી પાસે તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ દલીલ આવી ગઈ છે અને અમે તમારી તરફ સ્પષ્ટ અને ખુલ્લો માર્ગ બતાવનાર પ્રકાશ (કુરઆન મજીદ) ઉતાર્યું છે. (૧૭૪)فَأَمَّا الَّذِينَ آمَنُوا بِاللَّهِ وَاعْتَصَمُوا بِهِ فَسَيُدْخِلُهُمْ فِي رَحْمَةٍ مِنْهُ وَفَضْلٍ وَيَهْدِيهِمْ إِلَيْهِ صِرَاطًا مُسْتَقِيمًا (175) } બસ! જે લોકો અલ્લાહ તઆલા પર ઈમાન લાવ્યા અને આ (કુરઆન) પર મજબૂતી સાથે અડગ રહ્યા તો તેઓને તે (અલ્લાહ) નજીક માંજ પોતાની કૃપા અને દયામાં લઇ લેશે અને તેઓને પોતાની તરફનો માર્ગ બતાવી દેશે. (૧૭૫)}[૪: ૧૭૪, ૧૭૫].

શું તમે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા માટે તૈયાર છો?

ઉપર વર્ણન કરવામાં આવેલ દરેક વસ્તુઓ જો તાર્કિક છે, અને જો માનવીએ સત્યતાને દિલથી જાણી લીધી; તો તેણે પોતાનો પહેલો કદમ ઇસ્લામ તરફ આગળ વધારવો જોઈએ. શું તમને મારી પાસે પોતાના જીવનનો શ્રેષ્ઠ નિર્ણય લેવા માટે કોઈ મદદ અને મુસલમાન બનવા માટે કોઈ માર્ગદર્શન જોઈએ છે?

તમારા ગુનાહો તમને ઇસ્લામનો માર્ગ અપનાવવાથી રોકી ન દે; કારણકે અલ્લાહએ આપણને કુરઆનમાં જણાવ્યું કે જ્યારે માનવી તૌબા કરે છે અને ઇસ્લામ સ્વીકારે છે તો અલ્લાહ તેના દરેક ગુનાહ માફ કરી દે છે, ઇસ્લામ અપનાવ્યાં પછી પણ માનવીથી કેટલાક ગુનાહો થતાં રહે છે, કારણકે આપણે ઇન્સાન છીએ, પવિત્ર ફરિશ્તાઓ નથી, તેથી આપણે અલ્લાહ પાસે માફી માંગવી જોઈએ અને તૌબા કરવી જોઈએ, જ્યારે અલ્લાહ જો શે આપણે વિલંભ કર્યા વિના સત્યને સ્વીકારીને ઇસ્લામ અપનાવી લીધો છે, અને બંને સાક્ષીઓ આપી દીધી છે, તો તે બીજા ગુનાહ અને પાપોથી બચવા માટે આપણી મદદ કરશે, કારણકે જે અલ્લાહ તરફ પાછો ફરે છે અને સત્યને સ્વીકારે છે તો અલ્લાહ તેને વધુ પણ નેકી કારવાનના મોકા પ્રદાન કરશે, એટલા માટે માનવીએ ઇસ્લામ સ્વીકારવામાં સહેજ પણ સંકોચ ન કરવો જોઈએ.

તેની દલીલો માંથી એક દલીલ, અલ્લાહ તઆલા એ કહ્યું:﴿قُل لِّلَّذِینَ كَفَرُوۤا۟ إِن یَنتَهُوا۟ یُغۡفَرۡ لَهُم مَّا قَدۡ سَلَفَ﴾ {(હે નબી!) તે કાફિરોને કહી દો, જો તે લોકો સુધારો કરી લેશે તો તેમના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે}[૮: ૩૮].

મુસલમાન બનવા માટે મારે શું કરવું જોઈએ?

ઇસ્લામમાં દાખલ થવું એક સરળ કાર્ય છે, જે વ્યક્તિ ઇસ્લામ સ્વીકારવા ઈચ્છતો હોય તેના માટે રીતિ રિવાજો, સરકારી જોગવાઇઓ, અથવા કોઈનું હોવું જરૂરી નથી, તેણે ફક્ત બે સાક્ષીઓ આપવી પડશે, તેનો અર્થ જાણી તેના પર ભરોસો કરવો કરી આ કહેવું: ("અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદર્ રસૂલુલ્લાહ" અર્થ: હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે), જો તમારા માટે તેને અરબીમાં કહેવું સરળ હોય તો તમારે અરબીમાં જ કહેવું જોઈએ, અને જો તમારા માટે અશક્ય હોય તો તમે પોતાની ભાષામાં પણ કહી શકો છો, તો આવી રીતે તમે મુસલમાન બની જશો, ફરી તમારે પોતાના ધર્મ વિષે શીખવુ જોઈએ, જે તમારા માટે દુનિયામાં ખુશી અને આખિરતમાં નજાત મેળવવાનો માર્ગ છે.

ઇસ્લામ વિષે વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે આ વેબસાઇટની મુલાકાત લો:

અલગ અલગ ભાષામાં કુરઆન કરીમનું ભાષાંતર માટે નીચેની વેબસાઇટની મુલાકાત લો....:

ઇસ્લામની શિક્ષાઓ પર અમલ કેવી રીતે કરવો તે જાણવા માટે અમે તમને આ વેબસાઇટની મુલાકાત લેવાનું ભલામણ કરીએ છીએ:

મને કોણે પેદા કર્યો? અને કેમ પેદા કર્યો?દુનિયાની દરેકે દરેક વસ્તુ પેદા કરવાવાળા પાલનહારના અસ્તિત્વનો પુરાવો આપી રહી છે.

પવિત્ર અને મહાન અલ્લાહ

પવિત્ર અને ઉચ્ચ અલ્લાહના ગુણો

ઇલાહ પાલનહાર માટે પોતાના દરેક ગુણોમાં પરિપૂર્ણ હોવું જરૂરી છે.

શું આપણો પાલનહાર આપણને વહી વગર છોડી શકે છે?

પવિત્ર કુરઆન

આટલી સંખ્યામાં પયગંબરો કેમ આવ્યા?

કોઈ પણ વ્યક્તિ દરેક પયગંબરો પર ઇમાન લાવ્યા વગર મોમિન નથી બની શકતો

ઇસ્લામ શું છે?

મુસલમાનો ઈસા અલૈહિસ્ સલામ વિષે શું અકીદો ધરાવે છે?

મારે મુસલમાન બનવા માટે શું કરવું પડશે?

ઇસ્લામ ખુશીઓનો માર્ગ છે

ઇસ્લામને સ્વીકાર કરવાથી મને શું ફાયદો થશે?

જો હું ઇસ્લામનો સ્વીકાર ન કરું તો મને શું નુકસાન થશે?

નિર્ણય લેવામાં વિલંભ ન કરો!

સત્યને છોડી પોતાના પૂર્વજોનું અનુસરણ કરનારાનું કોઈ પણ બહાનું યોગ્ય નહીં ગણાય

જે વ્યક્તિ ઇસ્લામનો સ્વીકાર કરવા ઈચ્છતો હોય, પરંતુ તેને પોતાના સગા સંબંધીઓના નુકસાનનો ભય હોય તો તેણે શું કરવું જોઈએ?

પ્રિય વાંચક!

શું તમે પોતાના જીવનનો સૌથી મોટો નિર્ણય લેવા માટે તૈયાર છો?

મુસલમાન બનવા માટે મારે શું કરવું જોઈએ?


معلومات المادة باللغة العربية